કે ૧૦ ઉપનિષદો ગણાવે છે. આ લેખમાં આપણે ઉપનિષદોની ચર્ચા કરતાં નથી, પરંતુ તેના વિષે ટૂંકમાં જરૂરી હતું તેટલું આલેખ્યું છે.
અથર્વવેદ સાથે સંકળાયેલા ૩૧ ઉપનિષદો પૈકી અથર્વશીર્ષ ઉપનિષદ રુદ્ર
પર કેન્દ્રિત શૈવ ઉપાસના માટેનું લઘુ ઉપનિષદ ગણાય છે. લઘુ હોવા છતાં તે વેદાંતિક
જ્ઞાનથી ભરપૂર છે અને રુદ્રનું મહિમા મંડન કરે છે. રુદ્ર એ ભગવાન શિવનું વૈદિક નામ
છે. શૈવ ઉપનિષદ હોવાને કારણે, તેને શિવ-અથર્વ-શિર્ષમ તરીકે
પણ ઓળખવામાં આવે છે. અથર્વશીર્ષ ઉપનિષદની રચના કાળ વિષે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ તેનો ઉલ્લેખ ગૌતમ ધર્મસૂત્રના શ્લોક ૧૯:૧૨, બૌધાયાન
ધર્મસૂત્રના શ્લોક ૩:૧૦;૧૦ અને વશિષ્ઠ ધર્મસૂત્રના શ્લોક ૨૨:૯ તથા અન્ય
ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળતો હોવાથી તે ઈસ્વીસન પૂર્વે લખાયેલ છે તેમ કહી
શકાય. અથર્વશીર ઉપનિષદ તેના અદ્વૈતવાદ માટે પણ ખુબજ જાણીતું છે. જર્મન ફિલસૂફ
હેગેલે તેમના અનેક લખાણોમાં વ્યાપકપણે આ ઉપનિષદનો ઉલ્લેખ કર્યો જોવા મળે છે.
આ ઉપનિષદના દર્શન મુજબ તમામ દેવો રુદ્ર છે. હવે રુદ્ર એટલે શું
તે સમજીએ. રુદ્ર કોણ છે? પ્રથમ અધ્યાય, આ પ્રશ્નના ઉત્તરથી જ આરંભાય છે. રુદ્ર આદિ પણ છે, અને
અનાદિ પણ છે. જેનું અસ્તિત્વ આરંભે હતું, વર્તમાનમાં છે અને
ભવિષ્યમાં હશે તે રુદ્ર છે. તે શાશ્વત અને બિન- શાશ્વત, દૃશ્ય
અને અદ્રશ્ય, બ્રહ્મ અને અબ્રહ્મ, પૂર્વ
અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઉપર અને
નીચે, પુરૂષ અને સ્ત્રી, સાવિત્રી અને
ગાયત્રી, વિચાર અને
વાસ્તવિકતા, પાણી અને અગ્નિ, કમળનું
ફૂલ અને સોમરસ, અંદર અને બહાર, દરેક
વસ્તુનો આંતરિક સાર એટલે રુદ્ર. પ્રત્યેક વસ્તુમાં ગોચર કે અગોચર રુદ્ર છે, તે સાધ્ય છે સાધન પણ તે છે, આત્મા અને બ્રહ્મ રુદ્ર
છે, તે હ્રદયમાં બિરાજમાન છે અને ઓમ ૐ તેનું પ્રતિક છે. ક્રોધ અને વાસનાનો ત્યાગ
કરીને મૌન દ્વારા તેને સાકાર કરી શકાય છે. આ ઉપનિષદના અધ્યાય-૫ મુજબ તે તમામ
જીવોમાં વસે છે, અને જ્યારે તેઓ મટી જાય છે ત્યારે તેઓ રુદ્રમાં પાછા ફરે છે. તેમના દ્વારા
સમગ્ર બ્રહ્માંડ ફેલાયું છે. જે તેને આત્મસાત કરે છે તે શાંતિમાં પ્રવેશ કરે છે.
તે શાશ્વત છે, તે ઊર્જા છે. રુદ્ર
સર્વોપરી છે, ભગવંત છે, બ્રહ્મ છે, બ્રહ્માંડ છે, यो वै रुद्रः स भगवान्यश्च
ब्रह्मा तस्मै वै नमोनमः યો વૈ રુદ્ર:સ ભગવાન્યશ્ચ બ્રહ્મા તસ્મૈ વૈ નમોનમ: તેને કોટિ કોટિ વંદન.
વૈદિક સાહિત્યમાં રુદ્ર દેવતાને શક્તિશાળી
દેવતા માનવામાં આવે છે. યજુર્વેદનું રુદ્રાધ્યાય રુદ્રને સમર્પિત છે. વૈદિક સાહિત્યમાં, મુખ્યત્વે માત્ર એક જ રુદ્રની વાત કરવામાં આવી છે; પરંતુ પુરાણોમાં અગિયાર રુદ્રની માન્યતા અત્યંત પ્રચલિત છે. વેદોમાં, રુદ્ર નામનો ઉપયોગ પરમાત્મા, આત્મા અને શૂરવીર માટે થાય છે. યજુર્વેદના રુદ્રાધ્યાયમાં રુદ્રના અનંત સ્વરૂપોનું
વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન દર્શાવે છે કે આ આખું વિશ્વ રુદ્રોથી ભરેલું છે. રુદ્રનું વર્ણન તમામ દેવતાઓ, તમામ જીવોના સાર તરીકે, બ્રહ્માંડ સાથે એકરૂપ
માનવામાં
આવ્યું છે. રુદ્રને રક્ષક અને પોષક કહેવામાં આવે છે, કારણ કે તે પુનર્જન્મ અને દુઃખના
ભયથી મુક્ત કરે છે. તેને સૂક્ષ્મ કહેવામાં આવે છે, તેના ઉચ્ચારણ માત્રથી રોમેરોમ
ઝંકૃત થઈ જાય છે. સર્વોચ્ચ ધ્યેય સિદ્ધિ માટે બળ અર્પણ કર્તા હોઈ તે સર્વોચ્ચ
સત્તામય બ્રહ્મ કહેવાયું છે. તેને એક કહેવામાં આવે છે કારણ કે તેનામાં સર્વસ્વ
સમાપ્ત થાય છે અને તે તમામ જીવોને એક કરે છે.
'રુ' નો અર્થ થાય છે 'શબ્દો કરવા' - જે શબ્દો કરે છે, અથવા શબ્દો કરતી વખતે પીગળી જાય છે, તે રુદ્ર છે.' રુદ્ર શબ્દ છે, પરમાત્માનો વાચક છે, કારણ કે એક જ પરમાત્મા છે, પરમાત્માના
નામ અનેક છે. રુદ્રના અનેક ગુણોને કારણે અનેક ગુણાત્મક નામ પ્રસિદ્ધ થયા છે. અહીં
અદ્વૈત તત્વદર્શન ઉડીને આંખે વળગે છે. અદ્વૈત એટલે માત્ર એકજ પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. આ
વિચારને ઈસ્લામ ધર્મના ‘તૌહિદ’ એકેશ્વરવાદના વિચાર સાથે સરખાવી શકાય. ઇસ્લામ
દર્શન પણ માત્ર એકજ પરમાત્મામાં વિશ્વાસ રાખે છે, જેને ‘અલ્લાહ’ તરીકે ઓળખવામાં આવે છે, અલબત્ત ‘અલ્લાહ’ના પણ ૯૯
ગુણાત્મક નામ પ્રચલિત છે.
હિંદુ દેવતાઓ ગણેશ, શિવ, વિષ્ણુ, દેવી દુર્ગા અને
સૂર્ય ને સમર્પિત પાંચ અથર્વશીર્ષ છે, દરેક દેવને બ્રહ્મ અથવા અંતિમ સત્ય
તરીકે સંબોધવામાં આવે છે, જે એ હકીકતને દર્શાવે છે, કે માત્ર એક જ ઈશ્વર છે, પરંતુ તેમને
અસંખ્ય નામ આપવામાં આવ્યા છે.
રુદ્રી વિષે આપણે સૌ સુપરિચિત છીએ રુદ્રની સ્તુતિ એટલે રુદ્રી, જેમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી અથવા ઋદ્રષ્ટાધ્યાયી પણ કહેવામાં આવે છે. આ સ્તુતિમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર અને આત્મા અને તેના સ્વરૂપોનું વર્ણન છે. તેના આઠ અધ્યાયોમાં ગણપતિ, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, સૂર્યદેવતા, રુદ્ર, મૃત્યુંજય, મરૂત દેવતા અને અગ્નિ દેવતાની સ્તુતિ છે.
ગણપત્યથર્વશીર્ષ
ઉપનિષદ: બુદ્ધિ અને વિદ્યાનું પ્રતિનિધિત્વ કરતા દેવ ગણેશને સમર્પિત ગણપતિ
અથર્વશીર્ષ હિંદુ ધર્મનો એક લઘુ ઉપનિષદ છે. આ ઉપનિષદ પણ અથર્વવેદની સાથે જોડાયેલ છે. ગણપતિની
શરીરાકૃતિ જ રહસ્યમય છે. ‘ગણપત્યથર્વશીર્ષ’માં કહ્યું છે કે પ્રત્યેક પૂજામાં પ્રથમ સ્થાન ધરાવતા
શિવ-પાર્વતિના પુત્ર ગણપતિ, ઓમકારનું જ પ્રત્યક્ષ સ્વરૂપ છે. ગણપતિનો
આકાર પણ દેખાવે ઓમ ૐ જેવો છે. આ સંદર્ભમાં જ, વેદો અને પુરાણોમાં ગણપતિને ઓમકાર
સ્વરૂપ પરબ્રહ્મ માન્યા છે. આ ઉપનિષદનો પ્રથમ શ્લોક કહે છે કે છે કે, ગણેશ એ હિંદુ ધર્મમાં બ્રહ્મ તરીકે ઓળખાતી સર્વવ્યાપી સંપૂર્ણ આધ્યાત્મિક
વાસ્તવિકતા છે. જેમ
શૈવ ઉપનિષદોમાં શિવને, વૈષ્ણવ ઉપનિષદોમાં વિષ્ણુને, શક્તિ ઉપનિષદોમાં
દેવીને પર બ્રહ્મ તરીકે નિરુપ્યા છે તેમ આ ઉપનિષદ
ગણેશને બ્રહ્મ, આત્મા અથવા આત્મા સમાન હોવાનું અને છાંદોગ્ય ઉપનિષદના વૈદિક વિચાર ‘તત્ત્વમ અસિ’ની દૃશ્યમાન અભિવ્યક્તિ તરીકે ઉલ્લેખે છે.
સમાચાર ટુડે તા. ૨૭-૦૫-૨૦૨૨
No comments:
Post a Comment