Zen

Zen
Showing posts with label Gujarati / ગુજરાતી. Show all posts
Showing posts with label Gujarati / ગુજરાતી. Show all posts

Tuesday 12 September 2023

A poet laments

In the hush of heavens, divine silence rings, Gods and goddesses, with muted wings, I gaze back in anger, with a sense of dismay, At a time when harmony lit our way.

Cows grazed freely, in meadows they'd roam, As twilight descended, they'd find their home, Oh, how it pains me, to see those days lost, Divine silence now, at a heavy cost.

In the realm of devas, quiet prevails, As the world below faces myriad travails, And Krishna, your smile in frames and shrines, Leaves me pondering, in these uncertain times.

Have you set aside blessings for a chosen few? Or will your grace embrace all, old and new? It pains me deeply, this divine refrain, In a world where love and hope should reign.

~Dr Intaj Malek

Monday 11 September 2023

Night's Cosmic Ride

In the tranquil night so cool and calm, Beneath a sky adorned with starry charm, Upon my terrace, I lay in slumber's keep, When a whimsical fancy roused from deep.

A winged horse, divine, swift and bright, Came galloping through the obsidian night, It beckoned me to its saddle with grace, To soar the skies, in its celestial embrace.

I mounted the steed, with reins in hand, Together we rose, to a wondrous land, Higher and higher, through the somber night, In the darkness, we gleamed with radiant light.

A horse of purity, stars our only guide, Onward we journeyed, side by side, But suddenly, a hand unknown did appear, With force it pulled me, awakening from here.

A great jerk, and my foot did give a start, I awoke from this celestial dream, my heart's depart, Oh, it was all but a fleeting flight, it seemed, In the stillness of night, a dream once dreamed.

~ Dr Intaj Malek

Tuesday 29 August 2023

My Books

Within the sanctuary of my dwelling La Grace, A kaleidoscope of knowledge finds its space, Books, a constellation of bound dreams, Unfolding worlds through vibrant streams.

Literary treasures, a mosaic so grand, Philosophies woven like grains of sand, Religions' stories, an intricate weave, A quilt of beliefs, in pages they heave.

Artists, sculptors, and painters renowned, Their tales whispered in pages unbound, Ink unveils their passions, colors unfold, Their legacies painted in words, so bold.

Sociology's tapestry, people's interplay, Psychology's labyrinth, minds at bay, Medicinal magic in scientific scrolls, Books, is a universe where wisdom tolls.

Languages' symphony, a babel of tongues, Political musings in ink-stained lungs, Derrida and Foucault’s thoughts intertwine, Habermas's ideas, sparks spirit divine.

Shakespeare, Milton and Chaucer's grace, Rumi's verses, love’s mystical chase, Sams, Hafiz and Mansoor's embrace, In words, and in spirits their souls interlace.

Gandhi's resilience and Sardar's might, Tagore's melodies and Nehru's insight, Pinter's drama and Ionesco's whims, Beckett's enigma where words set free.

Marx’s and Lenin’s, ideologies soar, Khushrau, Ghalib and Mir's lyrical lore, Shakeel and Shahir’s, voices of fire, Inscribed in pages, their desires aspire.

Vedas, Quran, Bibles, Granth Sahib divine, Guiding lights in the passage of time, Culinary secrets, flavour one’s bloom, Costumes in pages, a vibrant plume.

My dwelling a sanctuary, a heaven of thought, Where pages whisper what humankind sought, A symphony of words, a dance of the mind, In the tapestry of books, wisdom we find.

~ Dr Intaj Malek

Sunday 27 August 2023

La Grace

In my château garden, I sit on a swing so high,
Listening to birds sing, beneath the clear sky.
After the rain's soft shower, the air feels so fresh,
My home, La Grace, brings peace like a gentle caress.

Nature's beauty mixes with God's loving grace,
In my small haven, known as La Grace
I write poems and think, surrounded by calm,
As blackbirds and sparrows add their soothing psalm.

A crow flies by, while the birds make their nest,
In this tranquil place, I feel truly blessed.
With linnet's melody and nature's grandeur,
I find in this moment, a blissful allure. 

Nature and God intertwine, hand in hand,
A symphony of tranquility, like grains of sand.
My soul finds solace in this serene embrace,
As I sway on the swing, in a tranquil space.

The linnet's song weaves tales of the sky,
Rain's sweet remnants in each droplet's sigh.
La Grace whispers stories of grace and ease,
As I reflect, my heart finds gentle release.

Buildings stand tall, people move with grace,
A world beyond, a slower-paced chase.
Here in my haven, where peace finds its start,
I discover the poetry within my heart.

~ Dr Intaj Malek

Wednesday 29 June 2022

ચૌસઠ કલાઓ :


કલા ભારતીયોની રગેરગમાં વહે છે, પછી તે સંગીત કલા હોય, નૃત્ય કલા હોય કે અન્ય કલા હોય. ભારતીય સંસ્કૃતિમાં ચૌસઠ કલાઓનું નિરૂપણ થયેલું છે. ચૌસઠ યોગીનીઓએ પ્રબોધેલી ચૌસઠ કલાઓનું  ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન છે. આ તમામ કલાઓ જીવનની ક્લાઓ છે, જીવન જીવવાની કલાઓ છે, જીવનાભિમુખ કલાઓ છે. ભારતીય સાહિત્યમાં ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં કવિઓએ અને નાટ્યકારોએ તેમની રચનાઓમાં અનેક કલાઓનો ઉલ્લેખ કર્યો છે તેટલું જ નહીં, પરંતુ કલાઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે પણ નાટકો, કાવ્યો દ્વારા પ્રજા સમક્ષ મૂક્યું છે. કાલિદાસ, ભાસ, ભાવભૂતિ, બાણ વગેરે સાહિત્યકારોએ તેમના પત્રોને વિવિધ ક્લાઓમાં કૌશલ્ય ધરાવતા બતાવ્યા છે. જુદા જુદા સંગીતના વાદ્યો, ચિત્રકલા જેવી કળાઓ ઉપરાંત કવિ બાણે તો પોતાના પાત્રોને દ્યૂતકલા, રત્નપરીક્ષા તેમજ વાસ્તુકલામાં નિપુણ ચિતર્યા છે.

કલા શબ્દ સાંભળતાં જ આપણને ૬૪ કલાઓની યાદ આવી જાય. ભારતીય શાસ્ત્રોક્ત ૬૪ કલાઓ છે, જેનો મહદઅંશે પ્રત્યેક ભારતીયને બોધ હશે. શ્રીમદ ભાગવતના ભાષ્યકાર શ્રીધરસ્વામીએ 'ભાગવતમ'ના ૪૫મા અધ્યાયના ૬૪મા શ્લોકના ભાષ્યમાં કલાઓના નામ આપ્યા છે. શુક્રાચાર્યે તેમના 'નીતિસાર'માં વિવિધ કલાઓનું વર્ણન કરેલ છે. શિવતત્વ રત્નાકર, જૈન ગ્રંથો તથા બૌદ્ધ ગ્રંથો જેવા કે ઉત્તરાધયન સૂત્ર અને લલિત વિસ્તરામાં ૬૪ કળાઓનો ઉલ્લેખ નજરે પડે છે. પુરાણોની વાત કરીએ તો અગ્નિપુરાણ, વાયુપુરાણ, ગરુડપુરાણ, અને કાલિકા પુરાણમાં ૬૪ કલાઓ વિષે એક અથવા  બીજા સ્વરૂપે ઉલ્લેખ જોવા મળે છે. વામકેશવરત્નતંત્રમાં ૬૪ તંત્રોની યાદી છે જે ખરેખર ૬૪ યોગીનીઓએ પ્રબોધેલ ૬૪ કલાઓ છે તેવું માનવમાં આવે છે. વાત્સ્યાયન પ્રણીત 'કામસૂત્ર'ના ભાષ્યકાર જયમંગલે બે પ્રકારની કલાઓનો ઉલ્લેખ કર્યો છે - 'काम शास्त्रांगभूता' 'तन्त्रावापौपयिकी-'કામ શાસ્ત્રાંગભૂત'  અને 'તંત્રવપૌપાયિક'. આ બંનેમાં દરેકમાં ૬૪ કલા છે. આમાંની ઘણી કલાઓ સમાન પણ છે અને ઘણી  પૃથક પણ છે. પ્રથમ પ્રકારમાં ૨૪ કર્માશ્રયી, ૨૦ દ્યુતાશ્રયી, ૧૬ શયનોપચારિક અને ૪ ઉત્તરકલા મળીને ૬૪  કલાઓ થાય  છે. આ પ્રત્યેકના રૂપાંતરોથી બનતી કલાઓ મળીને  કુલ ૫૧૮ પ્રકારની ક્લાઓ થાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં વર્ણવેલ તમામ ૬૪ કલાઓનો ઉલ્લેખ યજુર્વેદના 30મા અધ્યાયમાં મળે છે. આ અધ્યાયમાં કુલ ૨૨ મંત્રો છે, જેમાં  ચોથાથી બાવીસમા મંત્ર સુધી કલા અને કલાકારોનો ઉલ્લેખ છે. યજુર્વેદમાં રાજાએ જનકલ્યાણાર્થે અને સંપત્તિના વિભાજનાર્થે શું કરવું જોઈએ તે સંદર્ભમાં વિવિધ ક્લાઓનું વર્ણન છે. ત્રીશમા અધ્યાય જ વસુવિભાજન વિષે છે.

ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનુષ્યાવતારમાં શિક્ષાર્થે ગુરુ સાંદીપનીના આશ્રમમાં ગયા, જ્યાં તેઓ માત્ર ૬૪ દિવસ રહ્યા અને ૬૪ દિવસમાંજ ૬૪ કલાઓમાં નિપુણ થયા તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. ભારતીય સાહિત્યમાં કલાઓની વિવિધ સંખ્યા જોવા મળે છે. કામસૂત્રમાં ૬૪  કલાઓનું વર્ણન છે. આ ઉપરાંત 'પ્રબંધ કોશ' અને 'શુક્રનીતિ સાર'માં પણ કલાઓની સંખ્યા ૬૪ છે. લલિતવિસ્તારમાં ૮૬ કલાઓ ગણાય છે. શૈવ સંપ્રદાયમાં પણ ચોસઠ કલાઓનો ઉલ્લેખ છે. સમગ્ર રીતે ૬૪ કલા બાબતે મોટા ભાગના વિદ્વાનો સંમત થતા જોવા મળે છે અને ભારતીય જનમાનસમાં પણ ૬૪ કલાઓ રૂઢ થઈ હોય તેવું વર્તાય છે. કામસૂત્રમાં વર્ણિત ૬૪ કલાઓના નામ નીચે મુજબ છે. 

गीतं (१), वाद्यं (२), नृत्यं (३), आलेख्यं (४), विशेषकच्छेद्यं (५), तण्डुलकुसुमवलि विकाराः (६), पुष्पास्तरणं (७), दशनवसनागरागः (८), मणिभूमिकाकर्म (९), शयनरचनं (१०), उदकवाद्यं (११), उदकाघातः (१२), चित्राश्च योगाः (१३), माल्यग्रथन विकल्पाः (१४), शेखरकापीडयोजनं (१५), नेपथ्यप्रयोगाः (१६), कर्णपत्त्र भङ्गाः (१७), गन्धयुक्तिः (१८), भूषणयोजनं (१९), ऐन्द्रजालाः (२०), कौचुमाराश्च (२१), हस्तलाघवं (२२), विचित्रशाकयूषभक्ष्यविकारक्रिया (२३),.पानकरसरागासवयोजनं (२४), सूचीवानकर्माणि (२५), सूत्रक्रीडा (२६), वीणाडमरुकवाद्यानि (२७), प्रहेलिका (२८),  प्रतिमाला (२९), दुर्वाचकयोगाः (३०), पुस्तकवाचनं (३१), नाटकाख्यायिकादर्शनं (३२), काव्यसमस्यापूरणं (३३), पट्टिकावानवेत्रविकल्पाः (३४),तक्षकर्माणि (३५), तक्षणं (३६), वास्तुविद्या (३७), रूप्यपरीक्षा (३८), धातुवादः (३९), मणिरागाकरज्ञानं (४०), वृक्षायुर्वेदयोगाः (४१), मेषकुक्कुटलावकयुद्धविधिः (४२), शुकसारिकाप्रलापनं (४३), उत्सादने संवाहने केशमर्दने च कौशलं (४४),अक्षरमुष्तिकाकथनम् (४५), म्लेच्छितविकल्पाः (४६), देशभाषाविज्ञानं (४७), पुष्पशकटिका (४८), निमित्तज्ञानं (४९), यन्त्रमातृका (५०), धारणमातृका (५१), सम्पाठ्यं (५२), मानसी काव्यक्रिया (५३), अभिधानकोशः (५४), छन्दोज्ञानं (५५), क्रियाकल्पः (५६), छलितकयोगाः (५७), वस्त्रगोपनानि (५८), द्यूतविशेषः (५९), आकर्षक्रीडा (६०), बालक्रीडनकानि (६१), वैनयिकीनां (६२), वैजयिकीनां (६३), व्यायामिकीनां च (६४) विद्यानां ज्ञानं इति चतुःषष्टिरङ्गविद्या. कामसूत्रावयविन्यः.

ગુજરાતી ભાષામાં તેને નીચે મુજબ રજૂ કરી શકાય.

1) ગાયન, (2) વાદન, (3) નર્તન, (4) નાટય, (5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન), (7) રંગ પૂરણી, અલ્પના, (8) પુષ્પશય્યા બનાવવી, (9) અંગ લેપન, (10) પચ્ચીકારી, (11) શયન રચના, (12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), (13) જલક્રીડ઼ા, જલાઘાત, (14)શ્રુંગાર, (15) માલા ગૂઁથન, (16) મુગટ રચના (17) વેશ પરીવર્તન, (18) કર્ણાભૂષણ રચના, (19) અત્તર આદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણ ધારણ, (21) જાદૂગરી, ઇંદ્રજાળ, (22) અરમણીય ને રમણીય બનાવવુ, (23) હસ્તલાઘવ (24) રસોઈ કાર્ય, પાક કલા, (25) આપાનક કલા (શરબત બનાવવુ), (26)  સિલાઈ, (27) કલાબત્, (28) કોયડા ઉકેલ, (29) અંત્યાક્ષરી, (30) બુઝૌવલ, (31) પુસ્તકવાચન, (32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન, (33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ, (34) વેણી બનાવવી, (35) સૂત્તર બનાવટ, (36) કંદોઇ કામ, (37) વાસ્તુકલા, (38) રત્નપરીક્ષા, (39) ધાતુકર્મ, (40) રત્ન રંગપરીક્ષા, (41) આકર જ્ઞાન, (42) ઉપવનવિનોદ, (43) પક્ષી આદિની લડાઈ (44) પક્ષીઓને બોલતા શીખવવુ, (45) મર્દન (46) કેશ-કૌશલ, (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન, (48) વિદેશી કલાઓનુ જ્ઞાન, (49) દેશી ભાષાઓંનુ જ્ઞાન, (50) ભવિષ્યકથન, (51) કઠપુતલી નર્તન, (52) કઠપુતલી ના ખેલ, (53) પ્રતિ વર્ણન  (54) આશુકાવ્ય ક્રિયા, (55) ભાવ કથન(56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય, (57) અભિધાન, કોશજ્ઞાન, (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા, (60) આકર્ષણ ક્રીડ઼ા, (61) બાલક્રીડા કર્મ, (62) શિષ્ટાચાર, (63) વશીકરણ અને (64) વ્યાયામ

કલાનો આશય માનવીના ઉત્કર્ષ ઉત્થાન માટે હોય છે જેથી તેને અપરાવિદ્યા તરીકે લેખવામાં આવે છે. મુંડક ઉપનિષદમાં ૨૩ કળાઓને અપરાવિદ્યા અને ૨૪મી કલા બ્રહ્મવિદ્યાને પરાવિદ્યા તરીકે માનેલ છે, જે મુંડક ઉપનિષદના નીચેના શ્લોક પરથી પ્રતિપાદિત થાય છે જેમાં ૬૪મી કલાને બ્રહ્મવિદ્યા કહેવાઈ છે. 

(क्षुद्रास्त्रीषष्टविद्यासन्स्यु स्तत्फलं नश्वरं भवेत्।

चतुर्षष्टमी ब्रह्मविद्या त्वमृतदायिनी)     

બ્રહ્મવિદ્યા એટલે જીવ, જગત આત્મા અને પરમાત્મા તેમની વચ્ચેના આંતરસંબંધો, જીવનનો અર્થ અને તેનું અંતિમ લક્ષ્ય અને અપવર્ગ અથવા મોક્ષ પ્રાપ્તિ. ભારતીય દર્શનો જીવન વિમુખ દર્શનો  નથી, તે જીવન સન્મુખ દર્શનો છે. જીવન જીવવા માટેની જે ક્લાઓ છે તેમને અપરાવિદ્યા એટલેકે રોજિંદા જીવનમાં અથવા વ્યવહારમાં જેનો ઉપયોગ છે તેવી ક્લાઓને નિમ્ન કે ક્ષુદ્ર કક્ષામાં અને આત્મા-પરમાત્મા સબંધિત વિદ્યાને ઉચ્ચ કક્ષામાં મૂકી છે. આથીજ ૬૪મી કલાને અમૃતદાયિની એટલેકે અમૃત પ્રદાન કરનારી કહી છે.

કલા એ સંસ્કૃતિની વાહક છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ આયામોમાં વ્યાપ્ત માનવીય અને રસપૂર્ણ તત્વો કલાના  સ્વરૂપોમાં પ્રગટ થયા છે. ઉલ્લાસ એ કલાનો આત્મા છે. રસ અથવા આનંદ અથવા સ્વાદ મનુષ્યને સ્થૂળમાંથી ચેતનમાં જોડે છે. કલા માનવીય સંબંધો અને પરિસ્થિતિઓની વિવિધ ભાવલીલાઓને અને તેના માધ્યમથી ચેતનાને ઉજાગર કરે છે. અલબત્ત ચેતનાનું મૂળ 'રસ' છે, તે સ્વાદ અને આનંદ છે જે કલા પ્રગટ કરે છે. ભારતીય કલા એક તરફ વૈજ્ઞાનિક અને તકનીકી  આધાર ધરાવે છે, તો બીજી તરફ, તે હંમેશા ભાવ અને રસને પ્રાણતત્વની જેમ જાળવી રાખે છે. ભારતીય કલા જાણવા માટે ઉપવેદ, શાસ્ત્ર, પુરાણ અને પુરાતત્વ અને પ્રાચીન સાહિત્યનો સહારો લેવો પડે છે.

Image Credit:Sulochana Gawde  https://fineartamerica.com/featured/natraj-sulochana-gawde.html

Saturday 28 May 2022

અલ ખ્વારિઝમી (ઇ.સ. ૭૮૦-૮૫૦)



અલ ખ્વારિઝમીનું મૂળ નામ મુહમ્મદ ઈબ્ન મુસા અલ-ખ્વારીઝમી હતું. તેઓ ઇસ્લામિક સુવર્ણ યુગના મહાન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ભૂગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ ઉઝબેકિસ્તાનના ખ્વારિઝમ નામના પરગણામાં ઇ.સ. 780 માં થયો હતો.તેમના જીવન સંબંધી વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાક પુરાવો ઉપરથી ફલિત થાય છે કે તતેઓ ૯મી સદીની શરૂઆતમાં જ બગદાદ આવ્યા હતા તે સમયે, બગદાદમાં  પ્રભુત્વશાળી ખિલાફતે અબ્બાસિયા સલ્તનતન તખ્તનશીન હતી અને બગદાદ અબ્બાસિયા સલ્તનતના નેજા હેઠળ વિશ્વમાં ઈસ્લામિક સંસ્કૃતિ અને શાસનનું મહાન કેન્દ્ર ગણાતું હતું.   

અલ-ખ્વારિઝમી પોતે જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા ખલીફા અલ મામુનની  સંસ્થા 'બૈતુલ હિકમા' અથવા 'હાઉસ ઓફ વિઝડમ'માં શ્રેષ્ઠ યુગ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. અલ ખ્વારિજમી અને ખલીફા મામૂનના જ્ઞાનના સમન્વયથી વિજ્ઞાનના ક્ષેત્રે તેઓએ તદ્દન નવું જ ખેડાણ કર્યું હતું. ખલીફા અલ-મામુને  અલ-ખ્વારિઝ્મીની આગેવાની હેઠળ, સૂર્ય અને ચંદ્રની ગતિની ગણતરી કરવા માટે એક વિશિષ્ટ ટીમની રચના કરી, જેણે વિવિધ તારાઓની ગતિ અને કળાઓને  લગતું કોષ્ટક બનાવ્યું હતું. 

ખલીફા અલ મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારીજમી અને તેમની ટીમને સોંપી હતી કેમકે તોલેમી દ્વ્રારા બનાવવામાં આવેલ દુનિયાના નકશામાં મુસલમાનોના બે પવિત્ર શહેરો મક્કા અને મદિનાનો સમાવેશ થયેલ ન હોઈ ખલીફા મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારેઝમી અને તેમની ટીમને સોંપવામાં આવી હતી. 

ઇ.સ. ૮૩૩માં, અલ-ખ્વારિઝ્મીએ એક પુસ્તક 'સુરતુલ અર્જ' એટલે કે વિશ્વનું ચિત્ર પણ લખ્યું, જેના કારણે તેમને ઇસ્લામિક ઇતિહાસના પ્રથમ ભૂસ્તરશાસ્ત્રી બનવાનું સન્માન પણ મળ્યું. અલ-ખ્વારિઝ્મીને બીજગણિત પર વિશ્વનું પ્રથમ પુસ્તક 'અલ-કિતાબ-અલ-મુખ્તાસર-ફી-હિસાબ-અલ-જાબેર-વલ-મુકાબલા' લખવાનો શ્રેય પણ આપવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં એલ્જિબ્રા બીજગણિત તરીકે ઓળખાય છે. બીજગણિત અંગેનું  અલ-ખ્વારિઝમીનું પ્રદાન  તેમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન માનવામાં આવે છે.

કમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સ પણ અલ-ખ્વારિઝમીની શોધ છે, અલબત્ત  લેટિનમાં Algorithm અલ-ખ્વારીઝમીનું જ નામ છે. અલ ખ્વારીઝમીએ તેમના જીવનનું બીજું સૌથી મહત્વપૂર્ણ કાર્ય અંકગણિતના ક્ષેત્રમાં કર્યું, તેમણે પશ્ચિમી વિશ્વમાં સૌપ્રથમ 'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ'નો પરિચય કરાવ્યો, અને  'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ' વડે અંકો દ્વ્રારા ગણતરી કરવાની પદ્ધતિ વિકસાવી. હિસાબ અલ હિન્દ, અલ જમા વ તફરી, કિતાબ અલ સુરત-અલ-અર્દ, અને કિતાબ અલ તારીક તેમના મુખ્ય ગ્રંથો છે.         

વિશ્વનો સર્વશ્રેષ્ઠ પ્રથમ નકશો અલ ખ્વારીઝમીએ બનાવ્યો હતો. બીજગણિતની મદદથી અને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી વિશ્વ આજે જે વૈજ્ઞાનિક પ્રગતિ કરી રહ્યું છે તેનો શ્રેય અલ-ખ્વારીઝમીને જાય છે. સોવિયત સંઘે ૧૯૮૩માં અલ-ખ્વારીઝમીના સન્માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી, આ ઉપરાંત ઈરાનના વૈજ્ઞાનિકોને અલ-ખ્વારીઝમીના નામે આંતરરાષ્ટ્રીય એવાર્ડ આપવામાં આવે છે.

                                                    




      

 

અબુ જાફર અલ-કુલૈની (ઇ.સ. 864 - 899) અને અલ કાફી

અબુ જાફર મુહમ્મદ ઇબ્ન યાકુબ ઇબ્ન ઇસ્હાક અલ-કુલૈની, અલ-રાઝી એક અગ્રિમ ઇસ્નાશરી શિયાપંથના હદીસ વિદ્વાન અને અતિ વિશ્વસનીય શિયા હદીસ સંગ્રહ, ‘અલ-કાફીના સંકલનકાર હતા. વિદ્વાનોના મતાનુસાર તેનો જન્મ ઈરાનના રેય પાસે આવેલ કુલૈનમાં ઇમામ અલ-અસ્કરી (અ.)ની શહાદત પછી થયો હતો. જેમણે ઇમામ અલ-હાદી (અ.) અને ઇમામ અલ-બાકીર  પાસેથી સીધી હદીસો સાંભળી હતી, તેવા અનેક વિદ્વાનોનો તેમણે હદીસ સંકલન માટે સંપર્ક કર્યો હતો. એવું કહેવાય છે કે અલ-કુલૈની હદીસોના સંકલન અને વર્ણન કરવા બાબતે નાની નાની બાબતો પ્રત્યે પણ ખુબજ કાળજી લેતા હતા.

ઇસ્નાશરી શિયા પંથમાં અલ-કુતુબ-અલ-અરબા એટલે કે હદીસની ચાર કિતાબોનું અત્યંત મહત્વ છે અને તે ચાર કિતાબોને ખૂબજ આધારભૂત માનવામાં આવે છે. આ ચાર કિતાબો છે: અલ-કાફી, મન લા યહદુરુહ અલ-ફકીહ, તહઝીબ-અલ-અહકામ અને અલ-ઇસ્તિબસાર. આ પૈકી ચાર કિતાબોના રચયિતાના નામ અનુક્રમે અલ-કુલયની, શેખ સાદુક, અને શેખ તુસી છે. શેખ અલ તુસીના નામે બે કિતાબો છે, તહઝીબ-અલ-અહકામ અને અલ-ઇસ્તિબસાર. ચાર કિતાબો માટે રુઢ થયેલ શબ્દ ‘અલ કુતુબ અલ અરબા’ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ અલ- શાહિદ અલ-થાનીએ કહેલ હદીસોના પ્રસારની પરવાનગી માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પછી આ શબ્દ સામાન્ય રીતે (ફિકહ) ન્યાયશાસ્ત્રના ગ્રંથોમાં ઉપયોગમાં લેવાવા લાગ્યો. આ નાનકડા લેખમાં કુતુબ- અલ- અરબા શબ્દની ઐતિહાસિક પુષ્ઠભૂમિની ચર્ચા શક્ય નથી અને અપેક્ષિત પણ નથી.  કેટલાક શિયા વિદ્વાનો ચાર ગ્રંથોમાંની તમામ હદીસોને વિશ્વસનીય માને છે, જો કે, તેમાંના મોટા ભાગના, જો હદીસો મુતવતિર હોય, તો જ આધારભૂત હદીસ તરીકે સ્વીકારે છે. મુતવતિર હદીસ એટલે એવી હદીસ જે કડીબદ્ધ રીતે વિશ્વનીય વિદ્વાનોએ  અનેકવાર કહી હોય અને જેની વારંવાર નોંધ લેવાઈ હોય. વ્યુત્પતિની દ્રષ્ટિએ જોઈએ તો મુતવાતિર શબ્દ અરેબિક મૂળાક્ષરો વાવ, તે અને રે માંથી નીપજેલ છે, જેનો અર્થ અચલ સાતત્ય એટલે કે જેનો  સતત પ્રસાર થયો છે પણ તેમાં રજમાત્ર પરિવર્તન થયું નથી, જે એક વ્યક્તિથી લઈ અનેક વ્યક્તિઓ સુધી મૂળસ્વરૂપે પહોંચાડવામાં આવી હોય તેવી હદીસ એ જ મુતવાતિર કહેવાય છે. નિર્ણાયકતાનો ગુણધર્મ  હોવાને કારણે મુતવાતિર હદીસો ઘણી ઓછી હોવા છતાં અત્યંત નોંધપાત્ર બની રહી છે.

મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) અને ઈમામો દ્વારા શીખવવામાં આવેલી અને ઈમામોના શિષ્યો દ્વારા મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી પરંપરાઓને હદીસ કહેવામાં આવે છે. અલ-કાફી હદીસોનો સંગ્રહ છે. અલ-કાફીનો અર્થ પર્યાપ્ત થાય છે. અલ કાફીની પ્રસ્તાવનામાં કુલૈની કહે છે કે, “આપ એવી કિતાબ મેળવવા માંગતા હતા જે આપની તમામ ધાર્મિક જરૂરિયાતો માટે પર્યાપ્ત હોય, જેનો આપ શિક્ષક તરીકે સંદર્ભ આપી શકો, તો આપના માટે અલ કાફી પર્યાપ્ત છે, જેનો ઉપયોગ હદીસ અનુસાર ધર્મ અને કાયદાકીય વ્યવહારુ જ્ઞાન ઈચ્છતી કોઈપણ વ્યક્તિ કરી શકે છે."

કહેવાય છે કે  અલ-કાફીને પૂર્ણ કરવામાં અલ-કુલૈનીને વીસ વર્ષ લાગ્યા હતા, જે  ખરેખર અત્યંત કઠિન કાર્ય ગણાય. સોળ હજાર હદીસો થી ભરપૂર, અલ કાફી ત્રણ ભાગ અલ-ઉસુલ, અલ-ફુરુ અને અલ-રવ્દામાં વિભાજિત થયેલ છે. ઉસુલ ધર્મના સિદ્ધાંતો અને તત્સંબંધી પરંપરાઓનું વિસ્તૃત અને તલસ્પર્શી વર્ણન કરે છે, જે ઈસ્લામિક કાનૂની આધારશિલા સમાન છે. ફુરુ એ ન્યાયશાસ્ત્ર (ફિકહ) અંગે ચર્ચા કરે છે, જ્યારે રવદામાં ધાર્મિક બાબતોને સ્પર્શતા વિવિધ પાસાઓ અને ઈમામોના કેટલાક પત્રો અને નીતિશાસ્ત્રને લગતા ઉપદેશો સહિતની હદીસોનો સમાવેશ થાય છે. ઉસુલ અલ-કાફીને આઠ પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવેલ છે.  (૧) પ્રથમ પ્રકરણનું કિતાબ અલ-અકલ વલ-જાહલ, (તર્ક શક્તિ અને અજ્ઞાનતા) તર્ક અને અજ્ઞાનતા વચ્ચેના  ધર્મશાસ્ત્રીય ભેદને રજૂ કરે છે. (૨) બીજું પ્રકરણ કિતાબુલ-ફઝલ-અલ-ઇલ્મ, "જ્ઞાનની શ્રેષ્ઠતા"ની ચર્ચા કરે છે. અહીં પરંપરાગત રીતે વારસામાં મળેલ ઈસ્લામિક જ્ઞાનની વિભાવના કરવામાં આવી છે. હદીસની સત્યતા, ઈસ્લામિક પરંપરાગત જ્ઞાનની પદ્ધતિઓ, ઈમામો દ્વારા હદીસોનું કરેલ વર્ણન અને વ્યક્તિગત અભિપ્રાયના ઉપયોગ સામેની દલીલોની પ્રસ્તુતતા બૃહદ પરિપ્રેક્ષ્યમાં આલેખાઇ છે. (૩) ત્રીજું પ્રકરણ કિતાબ અલ-તૌહિદ, એટલે અલ્લાહની એકતાનું પ્રકરણ જેમાં અલ્લાહનું ઐક્ય અથવા એકેશ્વરવાદ અને ધર્મશાસ્ત્રની બાબતો વણી લેવાઈ છે.(૪) ચોથા પ્રકરણ કિતાબ અલ-હુજા, "સાબિતીનું પ્રકરણ" માં માનવી અને દુનિયાની બાબતે સાક્ષ્યની જરૂરિયાત અને  ઇમામ એ જ સાક્ષ્ય છે, અને તેમના પહેલા પયગંબરો સાક્ષ્ય હતા, તે બાબતનું વર્ણન છે. (૫)પાંચમું પ્રકરણ કિતાબ અલ-ઇમાન-વલ-કૂફ્ર, "ઈમાન અને કુફ્રનું પ્રકરણ" જેમાં અલ્લાહમાં વિશ્વાસ અને અવિશ્વાસના તત્વોનું એક સર્વેક્ષણ છે. (૬) છટઠું પ્રકરણ કિતાબ અલ-દુઆ', "પ્રાર્થનાનું  પ્રકરણ" છે, જેમાં ફર્જ નમાઝની વાત નથી,પરંતુ તે વ્યક્તિગત પ્રાર્થના કે દુઆ સંબંધિત છે, જે નમાઝથી અલગ છે. વિવિધ પરિસ્થિતિઓ અને પ્રસંગો માટે ઇમામો દ્વારા સૂચવાયેલ પ્રાર્થનાઓની ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે. (૭) સાતમું પ્રકરણ કિતાબ અલ-ફદલ અલ-કુરાન, "કુરાનની શ્રેષ્ઠતાનું  પ્રકરણ." શીર્ષક જ દર્શાવે છે કે તે કુરાનનું પઠન કરનારને મળતા ફાયદાની સાથે સાથે પઠનની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપે છે. (૮) કિતાબ અલ-ઇશરા, (મૈત્રી અથવા માનવીય સંબંધ) આ પ્રકરણ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વર સાથેનો સંબંધ માણસના તેના અન્ય માણસો સાથેના સંબંધોને પણ સમાવી લે છે. અલ-કાફીની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાઓને વિષય મુજબ પ્રકરણોમાં વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. આ એક એવી વ્યવસ્થા છે, જેનો ઇસ્લામિક વિદ્વાનોએ બીજી સદીના ઉત્તરાર્ધમાં અને ઇસ્લામિક યુગની ત્રીજી સદીમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ઈમામી હદીસોનું આ પ્રકારનું બૃહદ સર્વેક્ષણ આ રીતે રજૂ કરવાનું શ્રેય અલ-કુલૈનીને ફાળે જાય છે. અલ-કાફીને શિયા હદીસોની ચાર મુખ્ય કૃતિઓમાંની એક ગણવામાં આવે છે. આ કારણસર અનેક વિદ્વાનો  દ્વારા તેના પર અનેક તફસીરો લખવામાં આવી છે જેમાં  ઈમામ-મજલિસીની  સૌથી મહત્વપૂર્ણ ‘મીરાત અલ-ઉકુલફી શર્હ અખબર અલ-રસુલ’ નામની તફસીર છે. અન્ય તફસીરકારોમાં  મુલ્લા સદરૂદ્દીન શિરાઝી, અલ-મઝંદરાની અને મુહમ્મદ બાકીર ઇબ્ન દમદની તફસીરો પ્રચલિત છે.